મારા મતે

મિત્રો, દરેક વ્યક્તિ ને પોતાના વ્યક્તિગત વિચારો હોય છે. પણ યોગ્ય પ્લેટફોર્મ ના મળવાને કારણે ઘણા લોકો પોતાના વિચારો અથવા સંશોધનોને માત્ર સંઘરી રાખે છે.પરંતુ આજના આધુનિક યુગની વાત કરીએ તો વિચારોને પ્રદર્શિત કરવા માટે ઈન્ટરનેટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. જેમાં પોતાના બ્લોગ એકાઉંટ દ્વારા આપ આપના વિચારોને વિશ્વ સમક્ષ રજુ કરી શકો છો.

સોમવાર, 1 ઑગસ્ટ, 2011

તમે છો

ખળખળ વહેતી પાળના ભીતર,
લીલોછમ ઉલ્લાસ તમે છો,
દેહ સ્વરૂપે અલગ આપણે,
યુગ-યુગનો સહવાસ તમે છો,
આત્મા નો ઉલ્લાસ તમે છો,
વિસ્તરતું આકાશ તમે છો,
સંધ્યાનું આકાશ તમે છો,
ઝગમગતી જ્યોતના પ્રકાશ તમે છો,
ટમટમતી રાત્રીનો ઉજાસ તમે છો,
વિસ્તરતા સમયનો સાદ તમે છો,
મંદિરનો પ્રસાદ તમે છો,
.............................................    
                                                            "વસંત બારોટ" દ્વારા તેને ગમતી વ્યક્તિ માટે...
............................................. 
જયારે આપણને કોઈ વ્યક્તિ પાસેથી જીવનની નવી દિશા કે  માનસિક  શક્તિ મળે
તે તમામ આપને આ શબ્દોથી તેમને સન્માનિત કરી શકો છો.

ટિપ્પણીઓ નથી: