તમને વિચાર આવશે કે શું માત્ર વિચારવાથી જ ધનવાન બને શકાય ખરું. હા મિત્રો, માત્ર વિચારવાથી જ ધનવાન બની શકાય... પણ શું વિચારો તો ધનવાન થવાય તે સમજવું ખુબ જ જરૂરી છે.
પહેલા એક ઉદાહરણ થી સમજીએ :
આપણી પાસે એક ખેતર છે. જેમાં અલગ અલગ પ્રકારનું અનાજ ઉગાડીએ છીએ. તે ઉગાડવા માટે અલગ-અલગ સામાનની જરૂર પડે. પણ જો તેમાં આકડો વાવીએ તો ક્યારેય તેમ આંબો નથી ઉગવાનો. એ જ રીતે કુદરતે આપણને જમીન રૂપે દિમાગ આપ્યું છે. જેમાં મન - વિચાર, જેવા હથિયારો આપ્યા છે. આ હથિયારો માં સૌથી શક્તિ શાળી હથિયાર છે વિચાર.
વિચારો દ્વારા તમે તમારું લક્ષ્ય નક્કી કરી શકો છો. જો વિચારો જ નહિ આવે તો લક્ષ્ય નક્કી નહિ થાય. અને જો જીવનનું લક્ષ્ય ના હોય તો જીવન માત્ર જીવવા ખાતર જ જીવી લેવા જેવું થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો