મારા મતે

મિત્રો, દરેક વ્યક્તિ ને પોતાના વ્યક્તિગત વિચારો હોય છે. પણ યોગ્ય પ્લેટફોર્મ ના મળવાને કારણે ઘણા લોકો પોતાના વિચારો અથવા સંશોધનોને માત્ર સંઘરી રાખે છે.પરંતુ આજના આધુનિક યુગની વાત કરીએ તો વિચારોને પ્રદર્શિત કરવા માટે ઈન્ટરનેટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. જેમાં પોતાના બ્લોગ એકાઉંટ દ્વારા આપ આપના વિચારોને વિશ્વ સમક્ષ રજુ કરી શકો છો.

શુક્રવાર, 22 જુલાઈ, 2011

વિચારો અને ધનવાન બનો

તમને વિચાર આવશે કે શું માત્ર વિચારવાથી જ ધનવાન બને શકાય ખરું. હા મિત્રો, માત્ર વિચારવાથી જ ધનવાન બની શકાય... પણ શું વિચારો તો ધનવાન થવાય તે સમજવું ખુબ જ જરૂરી છે.

પહેલા એક ઉદાહરણ થી સમજીએ :

આપણી પાસે એક ખેતર છે. જેમાં અલગ અલગ પ્રકારનું અનાજ ઉગાડીએ છીએ. તે ઉગાડવા માટે અલગ-અલગ સામાનની જરૂર પડે. પણ જો તેમાં આકડો વાવીએ તો ક્યારેય તેમ આંબો નથી ઉગવાનો. એ જ રીતે કુદરતે આપણને જમીન રૂપે દિમાગ આપ્યું છે. જેમાં મન - વિચાર, જેવા હથિયારો આપ્યા છે. આ હથિયારો માં સૌથી શક્તિ શાળી હથિયાર છે વિચાર.

વિચારો દ્વારા તમે તમારું લક્ષ્ય નક્કી કરી શકો છો. જો વિચારો જ નહિ આવે તો લક્ષ્ય નક્કી નહિ થાય. અને જો જીવનનું લક્ષ્ય ના હોય તો જીવન માત્ર જીવવા ખાતર જ જીવી લેવા જેવું થાય છે.

ટિપ્પણીઓ નથી: